संदेश

जुलाई, 2021 की पोस्ट दिखाई जा रही हैं
चित्र
  ' હેરિટેજ જૂનાગઢ ' - શું છે ? શું થયું ? શું થઈ શકે ? આપણે શું કરી શકીએ ? #JunagadhHeritage જૂનાગઢ મહાનગરની ઓળખ એટલે તેના હેરિટેજ સ્થળો - સ્થાપત્ય ધરોહરોનું વૈવિધ્ય . સદીઓથી રૈવતાચળ - જૂનાગઢ ભારત વર્ષના વિવિધ ધર્મના બેનમૂન અને વિવિધ શૈલીના હેરિટેજ સ્થાપત્યો માટે જાણીતું છે. જેમાં હિન્દૂ, બૌદ્ધ,ઇસ્લામિક,જૈન સ્થાપત્યોનો સમાવેશ થાય છે .અશોક સમયના શિલાલેખો , બૌદ્ધકાલીન ગુફાઓ , સોલંકી યુગના કિલ્લાઓ અને કુવાઓ,અને આઝાદી સમય પહેલાના નવાબી કાળના બાંધકામો,દરવાજાઓ,લાઈટ પોલ . જૂનાગઢની ઓળખ એટલે એક જ શહેરમાં વૈવિધ્યકાલીન સ્થાપત્યો , વૈવિધ્યતાસભર ધરોહર વારસા માટે ગુજરાતમાં પ્રથમ આવે છે. અહીંની મુલાકાત તમને એકસાથે અનેક યુગોની સફર તે સમયના સ્થાપત્યો સાથે રૂબરૂ કરાવે છે . જૂનાગઢ જિલ્લાના માન .શ્રી જવાહરભાઇ ચાવડા ગુજરાતના પ્રવાસન મંત્રી બનતાં તેમણે તાત્કાલિક રસ દાખવી ગુજરાત સરકારશ્રી દ્વારા જૂનાગઢ માટેની સવિશેષ ઓળખ એવા ઉપરકોટ કિલ્લો કે જે 55 એકર વિસ્તાર અને 2.5 કિલોમીટર લાંબી ત્રિજીયામાં ફેલાયેલો છે. તેનું પ્રવાસન વિભાગ દ્વારા 50 કરોડના ખર્ચે રીનોવેશન અને રિસ્ટોરેશન , તેમજ હેરિટેજમાં આગ...
चित्र
સરદારબાગ જૂનાગઢ : ઉપયોગીતા,પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ :- આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર , જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર,તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો,વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી આ વિસ્તાર ચાર એતિહાસિક હેરિટેજ દરવાજાઓ અને ત્રણ મહત્વના રસ્તાઓથી જોડાયેલ છે. જુદી જુદી સરકારી મહત્વની લોકઉપયોગી 15 જેટલી સરકારી કચેરીઓથી ધમધમતો આ વિસ્તાર જૂનાગઢ શહેરના લોકોને અને જૂનાગઢ જિલ્લાના હજારો લોકોને કામ સબબ ઉપયોગમાં લેવાતા આ એરિયાના મહત્વના રસ્તાઓ વર્ષોથી વિવિધ કારણોસર તૂટેલા, પ્રાથમિક એવી સ્ટ્રીટલાઈટની સંપૂર્ણ સુવિધા ન હોવી, વિસ્તારમાં જરૂરી કામો ન થવાથી અવ્યવસ્થાનો સામનો લોકો વર્ષોથી કરી રહ્યા છે. સરદારબાગ માંહેના રસ્તાઓનું મહત્વ : - બસસ્ટેન્ડ - સરદારબાગમાંથી કલેક્ટર ઓફિસ -અક્ષરમંદિર- વંથલી રોડને જોડતો પૂરક રસ્તો . - ઝાંઝરડા રોડ ને કલેક્ટર કચેરી , અક્ષર મંદિરથી જોડતો હજારો લોકોને ઉપયોગી મહત્વનો રસ્તો . - વિવિધ સોસાયટીઓને સરદારબાગમાંથી ઝાંઝરડા રોડથી જોડતો પૂરક રસ્તો . આ વિસ્તાર રોજિંદા હજારોની સંખ્યામાં લોકોને,વાહનચાલકોને...