સરદારબાગ જૂનાગઢ : ઉપયોગીતા,પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ :-


આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર , જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર,તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો,વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી આ વિસ્તાર ચાર એતિહાસિક હેરિટેજ દરવાજાઓ અને ત્રણ મહત્વના રસ્તાઓથી જોડાયેલ છે.
જુદી જુદી સરકારી મહત્વની લોકઉપયોગી 15 જેટલી સરકારી કચેરીઓથી ધમધમતો આ વિસ્તાર જૂનાગઢ શહેરના લોકોને અને જૂનાગઢ જિલ્લાના હજારો લોકોને કામ સબબ ઉપયોગમાં લેવાતા આ એરિયાના મહત્વના રસ્તાઓ વર્ષોથી વિવિધ કારણોસર તૂટેલા, પ્રાથમિક એવી સ્ટ્રીટલાઈટની સંપૂર્ણ સુવિધા ન હોવી, વિસ્તારમાં જરૂરી કામો ન થવાથી અવ્યવસ્થાનો સામનો લોકો વર્ષોથી કરી રહ્યા છે.

સરદારબાગ માંહેના રસ્તાઓનું મહત્વ :
- બસસ્ટેન્ડ - સરદારબાગમાંથી કલેક્ટર ઓફિસ -અક્ષરમંદિર- વંથલી રોડને જોડતો પૂરક રસ્તો .
- ઝાંઝરડા રોડ ને કલેક્ટર કચેરી , અક્ષર મંદિરથી જોડતો હજારો લોકોને ઉપયોગી મહત્વનો રસ્તો .
- વિવિધ સોસાયટીઓને સરદારબાગમાંથી ઝાંઝરડા રોડથી જોડતો પૂરક રસ્તો .
આ વિસ્તાર રોજિંદા હજારોની સંખ્યામાં લોકોને,વાહનચાલકોને, રાહદારીઓને ખુબ ઉપયોગી છે. સુયોગ્ય રસ્તાઓ થવાથી મુખ્ય રસ્તાઓનો ટ્રાફિક ડાઇવર્ટ અને હળવો થશે.

સરદારબાગ વિસ્તાર ત્રિજીયા ત્રિકોણ આકારે છે. નવાબી સમયના ચાર હેરિટેજ દરવાજાઓ આવેલ છે, જેની જાળવણી બિલકુલ નથી.

સાથેજ સરદારબાગના મુખ્યગેટમાંથી એન્ટર થતા આગળ રસ્તાની બંને તરફ સુંદર કોતરણી કામવાળા નવાબી કાળના હેરિટેજ લાઈટ પોલ (હવે 08 રહ્યા છે. ) આવેલ છે જે આ વિસ્તારની શોભામાં વધારો કરે છે, જે પણ બંધ છે. શરૂ અને રિનોવેટ થાય તો સુંદર દ્રશ્યમાન થઈ શકે . જાણવણી , ઉપયોગ અને કલરના અભાવે રહેલ છે. .ઉપરોક્ત બંને બાબતો એ માટે પણ જરૂરી અને મહત્વની છે કે અહીં સરદારબાગમાંજ 'જૂનાગઢ મ્યુઝિયમ' આવેલ છે જ્યાં દેશ સહીત વિદેશના મુલાકાતીઓ આવે છે .

સરદારબાગમાં નવાબી સમયનો રંગમંચ બિલ્ડીંગનો પણ રચનાત્મક વિશેષ ઉપયોગ થઇ શકે તેવો કલાત્મક અને સુવિધાવાળો રંગમંચ અહીં આવેલો છે .

સરદારબાગના નવાબના રહેણાંક મકાનમાં હાલ કાર્યરત સરકારી કચેરીઓમાં પણ સ્વચ્છતા - જાળવણીના અભાવે બાંધકામને અંદર અને બહારના ભાગમાં નુકસાન થયેલ છે .જવાબદારી ત્યાં કાર્યરત કચેરીઓના અધિકારી/કર્મચારી કે લગત પીડબલ્યુડી કે આર એન્ડ બી વિભાગની છે.

સરદારબાગમાં વિવિધ જગ્યાઓએ સાઈડ પર બિન જરૂરી પથ્થરો,માટી -કસ્તરના ઢગ અને રસ્તા પર મોટા ઉકરડા હોવા આ રસ્તા પર સૌ માટે અયોગ્ય દર્શનરુપ છે. સ્ટ્રીટલાઇટ ન હોવાથી રાત્રીના એકલ દોકલ નીકળવું મુશ્કેલ છે.

સરદારબાગમાંથીજ કલેક્ટર ઓફિસના પાછળના વિસ્તારમાં આવેલી 3 થી 04 સોસાયટીઓ ગુલિસ્તાન , ખરાવાડ વિગેરેએ આવેલ છે . જ્યાં રહેતા હજારો વાહનચાલકો , રાહદારીઓ ને સરદારબાગથી લઇ તે વિસ્તારનો મુખ્ય રસ્તો પણ તૂટેલ છે ,
આ સરદારબાગ વિસ્તારમાં જો ફરીથી સુયોગ્ય દ્રષ્ટિકોણથી લગત પીડબલ્યુડી ,આર એન્ડ બી વિભાગ , જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ સરદારબાગ વિસ્તાર ઝળહળી ઉઠે તેમ છે. અને હજારો નાગરિકોને ઉપયોગી આશીર્વાદરૂપ થઈ શકશે .

સોંદર્યકરણ સુચન :-

- સરદારબાગનો મુખ્ય વિશાળ ચાર પોલ વાળા હેરિટેજ દરવાજાનું હેરિટેજ સમારકામ રીનોવેશન જરૂરી. જેની આગળ બંને બાજુ સોરઠની ઓળખ સમા સિંહના મોટા સ્ટેચ્યુ પણ છે.
આ મુખ્ય દરવાજો શહેરમાંથી પસાર થતા મુખ્ય હાઈવે રસ્તા પર હોવાથી લોકો તેને નિહાળે છે . જેમાં આગળ બોર્ડ , કચરાના ઢગ , પોલ, નાના બાંધકામ કે અન્ય વસ્તુઓ અને જાળવણી ના અભાવે ઝાડ અને ઇલેકટ્રીક વાયરો પસાર થાય છે.
- ઝાંઝરડા રોડ તરફના ( ઘોરીપીર મસ્જિદની બાજુમાં ) અન્ડર બ્રિજ સામે વિશાળ બે પીલોર વાળા હેરિટેજ દરવાજાની પાસે રસ્તા પરની સામેની દીવાલ તોડવાથી ત્યાંનો વણાંક મોટો અને ઉપયોગી થઇ શકે તેમ છે, અને દરવાજાના પીલોર નો સર્કલ કે આગળ રોડ પર અને વચ્ચે સર્કલ બની શકે તેમ છે.
- ઝાંઝરડા અન્ડર બ્રિજ પહેલા આવેલ પેરી પ્લાઝા કોમ્પલેક્ષની સામે સરદારબાગની અંદરની જગ્યા છે મ્યુઝીયમનો પાછળનો ભાગ કે મહાનગરપાલિકા સંપ નો ભાગ જેતે વિભાગ હસ્તકમાંથી હેતુફેર થઇ શકે તેમ હોય તો લોક સુખાકારી માટે ત્યાં વિશાળ જાહેર બગીચો , બાળક્રીડાંગણ , હોબી સેન્ટર વિગેરે બની શકે તેમ છે. જે જૂનાગઢ પશ્ચિમ તરફની વિશાળ વસ્તીના નાગરિકો પરિવારોને મહત્વનો બની રહેશે,જગ્યાના સૌંદર્યકરણથી જગ્યાનો સદઉપયોગ થશે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .

Care And Protect Animals